માંગરોળની સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિરના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પબધ્ધ થયા.

જુનાગઢ

ગુજરાત રાજ્યના તાત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ શપથ લઈ રાજ્યના વિકાસની કરવટબદલી હતી. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતની ૨૩ વર્ષની વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન જૂનાગઢ જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

જૂનાગઢ જિલ્લામાં માંગરોળ ખાતેની સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિરના વિદ્યાર્થીનીઓ વિકાસ સપ્તાહની ઉજવણી ના ભાગ રૂપે નિબંધ સ્પર્ધા માં ઉત્સાહ ભેર સહભાગી થઈ સ્કુલના સ્ટાફ અને વિદ્યાર્થીઓ એ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.

અહેવાલ :-પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)