યાત્રાધામ અંબાજી પહોંચ્યા આરોગ્ય મંત્રી માતાજી ના ચરણે, ઋષિકેશ પટેલ જગતજનની માતાજી ના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી.

અંબાજી

શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે માં અંબાના ધામ અંબાજીમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબા ના ચરણોમાં શીશ નમાવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા આવતા હોય છે. અનેકો નેતા અભિનેતા પણ મા અંબાના દર્શન કરવા માં જગતજનની અંબાના મંદિરે આવે છે. ત્યારે આજે ગુજરાત રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અંબાજી ખાતે પહોચ્યા હતા.

ગુજરાત રાજ્ય ના આરોગ્ય મંત્રી આજે સવારે શક્તિપીઠ અંબાજી ખાતે પહોચ્યા હતા. અંબાજી મંદિર પહોચતા ઋષિકેશ પટેલ નો સ્વાગત અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. ત્યાર બાદ મંત્રી મંદિર મા જઈ માતાજી ના ચરણો મા શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. જગત ની સંચાલન કરતી માં જગત જનની અંબા ના દર્શન કરી રાજ્ય ના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરી હતી. અંબાજી મંદિર ના ભટજી મહારાજ દ્વારા મંત્રી ને તિલક કરી અને માતાજી ની ચુંદડી ઓઢાવી આરોગ્ય મંત્રી ને આશીર્વાદ આપ્યા હતા. ત્યાર બાદ મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આજે અંબાજી મંદિરમાં આરોગ્ય મંત્રી સાથે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને બનાસકાંઠા જિલ્લા કલેકટર જિલ્લા, જિલ્લા પોલીસ વડા, હાજર રહ્યા હતા.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)