રાજ્ય સરકારના માન.મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા.

સોમનાથ

ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, તેમજ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સરક્ષાને લગતી બાબતોના મંત્રી માન.શ્રી કુંવરજીભાઇ બાવળીયા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. પ્રાતઃ તેઓએ શ્રીસોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા તેમજ મહાદેવનો જળાભિષેક કરીને પૂજા સામગ્રી અર્પણ કરી હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા દ્વારા શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર તેમજ પ્રસાદ અર્પણ કરીને મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા નું અભિવાદન કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ