રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી ધન્ય થયા.

સોમનાથ

દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસનો ભાગ હોય સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તોનો સોમનાથ તીર્થમાં ઉમટયો હતા. સવારે 10 વાગ્યા સુધીમાં 35,000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. શિવજીની આરાધનાના શીવોત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્ય અર્જન કરવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા. સવારના 10 વાગ્યા સુધીમાં જ 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહપરિવાર સ્નેહીજનો સાથે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. આ વિશેષ અવસરે તેઓશ્રીએ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો

શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી પી.કે.લહેરી સાહેબના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી. ત્યારબાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.

અહેવાલ :- દિપક જોશી (ગીર સોમનાથ)