વડોદરામાં તા. ૨૭થી વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી મેળો

ગુજરાતના યુવાનો માટે એક સુવર્ણ તક રૂપે ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુ બનવા માટેની ઓપન ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી વડોદરા જિલ્લાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે.

📅 ભરતીની તારીખો

  • ૨૭ અને ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ : અપરણીત પુરુષ ઉમેદવારોની પસંદગી

  • ૩૦ અને ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ : અપરણીત મહિલા ઉમેદવારોની પસંદગી


પાત્રતા માપદંડ

  • ઉમેદવાર અપરણીત હોવો આવશ્યક

  • જન્મ તારીખ : ૧ જાન્યુઆરી ૨૦૦૫ થી ૩૧ જુલાઈ ૨૦૦૮ (બન્ને તારીખ સહીત)

  • શૈક્ષણિક લાયકાત :

    • ૧૦+૨ અથવા સમકક્ષ પરીક્ષા ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે પાસ અને અંગ્રેજીમાં પણ ૫૦% ગુણ આવશ્યક

    • અથવા, માન્ય સંસ્થામાંથી ૨ વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમ અથવા ૩ વર્ષનો ડિપ્લોમા (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ/ઓટોમોબાઇલ/કમ્પ્યુટર સાયન્સ/આઈ.ટી. વગેરે) ૫૦% ગુણ સાથે પાસ કરેલો હોવો જોઈએ


પસંદગી પ્રક્રિયા

  1. દસ્તાવેજ ચકાસણી – આધાર કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, શૈક્ષણિક પ્રમાણપત્રો વગેરે

  2. શારીરિક કસોટી

    • ઊંચાઈ માપ

    • ૧૬૦૦ મીટરની દોડ

    • પુશ અપ, સીટ અપ અને સ્ક્વાટ્સ

  3. લેખિત પરીક્ષા

  4. એપ્ટિટ્યૂડ ટેસ્ટ – ૧ (સિચ્યુએશન રિએક્શન ટેસ્ટ)

  5. એપ્ટિટ્યૂડ ટેસ્ટ – ૨ (ગ્રુપ ડિસ્કશન)


લાવવા માટેના આવશ્યક દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ

  • ધોરણ ૧૦ તથા ઉચ્ચ અભ્યાસની માર્કશીટ

  • ડોમિસાઇલ સર્ટિફિકેટ

  • NCC સર્ટિફિકેટ (હોઈ તો)

  • સરકારી કર્મચારી/વાયુસેનામાં સેવા આપતા જવાનોના સંતાનો માટે જરૂરી પ્રમાણપત્ર

  • સરકારી કર્મચારીઓ માટે NOC સર્ટિફિકેટ

  • જો હાથ પર ટેટૂ હોય તો તેનું પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ


વધારાની સુવિધાઓ

  • વડોદરા જિલ્લા રોજગાર કચેરી દ્વારા સ્થાનિક ઉમેદવારોને ત્રીસ દિવસની વિનામૂલ્યે નિવાસી તાલીમ

  • જિલ્લા તંત્ર દ્વારા મંડપ, વીજળી, પીવાનું પાણી, રિફ્રેશમેન્ટ, સ્વચ્છતા, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ટ્રાન્સલેટર શિક્ષક અને રાત્રિ રોકાણ જેવી જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાશે.


📌 વિગતવાર માહિતી માટે :
વાયુસેનાની ઓફિશ્યલ વેબસાઈટ – https://agnipathvayu.cdac.in
વડોદરા જિલ્લા રોજગાર કચેરી – સંપર્ક : મદદનીશ નિયામક અલ્પેશ ચૌહાણ


🖊️ અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ