વેરાવળ, તા. ૪ જૂન:
“પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” – વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ ની આ વર્ષની થીમ સાથે સમગ્ર દેશમાં પર્યાવરણ જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લો પણ આ અભિયાનમાં આગળ વધીને પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર બનવાના દિશામાં સક્રિય પ્રયાસો કરી રહ્યો છે.
આ અભિયાન અંતર્ગત આવતીકાલે ૫ જૂન, સાંજે ૬:૦૦ વાગે વેરાવળ ચોપાટીથી ટાવર ચોક સુધી વિશાળ “સિંગલ યુઝ પ્લાસ્ટિક જાગૃતિ રેલી” યોજાશે.
રેલીમાં બેનર્સ, નારા, શેરી નાટકો અને કાપડ થેલીઓના વિતરણ દ્વારા જનજાગૃતિ લાવવામાં આવશે.
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,
“પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ નથી અને અનેક વર્ષો સુધી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આપણે સૌએ મળીને પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી ભાવિ પેઢી માટે સચોટ વાતાવરણ નિર્માણ કરવું છે.“
🟩 રાજ્યમાં નોંધપાત્ર પરિણામો:
- અત્યાર સુધી ૧૪,૫૦૫ ટન પ્લાસ્ટિક કચરો એકત્ર
- ગીર સોમનાથ જિલ્લામાં ૧૦૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્રિત
- હજારો નાગરિકોની ભાગીદારી, લાખો સુધી જનજાગૃતિનો સંદેશો
🟩 જિલ્લામાં ચાલતા કાર્યક્રમો:
- દરિયાકાંઠાની સફાઈ
- વૃક્ષારોપણ
- શેરી નાટકો
- કાપડની થેલીઓનું વિતરણ
- સેમિનાર અને શાળા-મહાવિદ્યાલયે અભિયાન
ગુજરાતે આ અભિયાન દ્વારા “ગ્રીન લીડરશીપ“નું આગવું ઉદાહરણ આપ્યું છે. હર ઘરમાં હવે પ્લાસ્ટિક સામે જાગૃતિ આવી રહી છે અને પર્યાવરણ બચાવાની લડત હવે સંસ્થાઓથી આગળ વધી ને નાગરિકોની મિશન બની રહી છે.
🟢 આવી રેલીમાં હાજરી આપીને આપણે સૌ પર્યાવરણના સૈનિક બનીએ – પ્લાસ્ટિક મુક્ત ભારત તરફ વધુ એક પગથિયું ભરીએ.
📍અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ