જુનાગઢ જિલ્લાના વિસાવદર પેટા ચૂંટણીમાં ઇકોઝોનનો મુદ્દો રાજકીય ચર્ચાના કેન્દ્રબિંદુએ આવી ગયો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ચૂંટણી સભાઓમાં 2016 થી ચાલતા આપના નેતા પ્રવીણ રામના ઇકોઝોન વિરોધી આંદોલનને યાદ કરીને સ્પષ્ટ સંકેત આપ્યો કે આ મુદ્દો માત્ર સ્થાનિક નહીં, પણ રાષ્ટ્રીય ફલક પર પહોંચ્યો છે.
વિસાવદરના કુલ 28 ગામોમાં ઇકોઝોન મુદ્દો જનજીવન અને રોજગારી પર સીધી અસર કરતા લોકોએ વર્ષોથી આ મુદ્દા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. 2016 થી પ્રવીણ રામે આમ આદમી પાર્ટીની યાદીમાં રહીને સતત જનઆંદોલન ચલાવ્યું છે. અરવિંદ કેજરીવાલે પોતાના દરેક ભાષણમાં પ્રવીણ રામના આ સંઘર્ષને આવકાર્યો અને જણાવ્યુ કે આમ આદમી પાર્ટી ઇકોઝોન મુદ્દે ન્યાય મળ્યા વિના શાંથ નહીં બેસે.
ચૂંટણીના આ મહત્ત્વના તબક્કામાં ઇકોઝોનનો મુદ્દો જાહેર જનમત પર ભારે અસર પાડી રહ્યો છે. વિશેષ કરીને આ મુદ્દો આમ આદમી પાર્ટી અને ઉમેદવાર ગોપાલ ઈટાલિયાના પક્ષમાં હવા બનાવી રહ્યો છે. લોકોએ પણ પ્રવીણ રામના લાંબા સંઘર્ષને માન્યતા આપી છે અને હવે રાજકીય પક્ષોએ પણ આ મુદ્દે સ્પષ્ટ રેખા ખેંચવી પડશે તેવી લોકસભામાં ચર્ચા વધી રહી છે.
📍 અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ