વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા જન્મ-મરણ નોંધણી કચેરીની ઉત્તમ કામગીરી

ફક્ત ૧૫ મિનિટમાં મળશે ૦૧-૦૯-૨૦૧૮ પછી જન્મેલા બાળકોનું જન્મ પ્રમાણપત્ર

નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાનીના હસ્તે વાલીઓને પ્રમાણપત્રો વિતરણ

વેરાવળ: વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વેરાવળ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે બાળકોનો જન્મ તારીખ ૦૧-૦૯-૨૦૧૮ પછી થયો હોય, તેમને હવે માત્ર ૧૫ મિનિટમાં જ જન્મ પ્રમાણપત્ર મળવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સેવા આરંભથી કચેરીમાં કાર્યરત કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરી અને સુવિધાના કારણે અરજદારોના સમય બચાવામાં પણ મદદરૂપ સાબિત થઈ રહી છે.

નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાનીના હસ્તે વાલીઓને આ પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતાં.

જન્મ-મરણ નોંધણી કચેરીના સબ રજીસ્ટ્રાર શ્રી જીતેન્દ્ર વાળાએ જણાવ્યું કે, ૦૧-૦૯-૨૦૧૮ પછી જન્મેલા બાળકો માટે આ ઝડપી સેવા શરૂ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ૧૯૦૦૦ જેટલા કુલ પ્રમાણપત્રો કચેરી દ્વારા ઇશ્યૂ કરવામાં આવ્યા છે અને આર.ટી.ઈ. સંબંધિત તમામ અરજીઓનું પણ નિર્વાહ કરવામાં આવ્યું છે.

શ્રી જીતેન્દ્રવાળાએ સીનિયર ક્લાર્ક હિતેશ પંડ્યા, ક્લાર્ક નરેન્દ્ર ચાવડા, હિરાબહેન ગોહેલ, જ્યોતિબહેન બેરડિયા, સર્વે ઓપરેટર ગીરીશ ગીલગીલાણી અને વિજય પંડિતની ટીમવર્કને આ સફળતાનું શ્રેય આપ્યું છે.

સાથે જ નગરપાલિકા પ્રમુખ દ્વારા જન્મ-મરણ નોંધણીની ટીમને ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યું હતું.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ