વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા જગન્નાથ શોભાયાત્રા નું ભવ્ય આયોજન કરાયું..

સોમનાથ

વેરાવળ શહેરમાં સૌ પ્રથમ વાર ઇસ્કોન મંદિર સોમનાથ દ્વારા અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા ના સહયોગથી વેરાવળ કાશી વિશ્વનાથ ના મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા નીકળેલ તેમાં શ્રી જીતુભાઈ કુહાડા મહેન્દ્રભાઈ પિઠીયા દિલીપભાઈ બારડ ભગાભાઈ સોલંકી મુકેશભાઈ ચોલેરા દ્વારા ભગવાન જગન્નાથની સુભદ્રાજી તથા બલભદ્રજી ની આરતી કરેલ ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થયેલઆ પ્રારંભ કાશી વિશ્વનાથ મંદિર થી હાઉસિંગ, નવદુર્ગા મંદિર, કે. કે. મોરી સ્કૂલ, બસ સ્ટેન્ડ, ટાવર ચોક, કાકા સેન્ડવીચ, હરસિદ્ધિ આઇસક્રીમ, બકાલા માર્કેટ, જૂની વિજયા બેન્ક, ખારવા સમાજ વંડીએ સત્સંગ આરતી તેમજ મહાપ્રસાદ કરાવી ને પૂર્ણ કરવામાં આવી હતી આ રથયાત્રામાં ઠેર ઠેર લોકો દ્વારા ફુલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રથયાત્રામાં જોડાયેલા

વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ શ્રી વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખશ્રી જીતુભાઈ કુહાડા, શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા, રામેશ્વર એક્સપોર્ટના માલિક રામજીભાઈ પીઠડ, ચંદ્રેશ શીલા એક્સપોર્ટ ના માલિક વિક્રમભાઈ સુયાણી, ભાલપરા ગામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ લલીતભાઈ ફોફંડી, વેરાવળ ખારવા સમાજના ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, બાબુભાઇ આગિયા, ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા, વેરાવળ હોડી એસોસીએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, ખારવા સમાજ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી, તેમજ ખારવા સમાજના તમામ આગેવાન શ્રીઓ, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ફોફંડી, તથા ગીર સોમનાથ ભાજપના તમામ હોદ્દેદારો, ગીર સોમનાથ વેરાવળ આર.એસ.એસ. ના બીપીનભાઈ હરિયાણી, ભાલકેશ્વર ભગાભાઈ સોલંકી, અમદાવાદ જગન્નાથ મંદિરના પ્રભુ શ્રી, રાજકોટ ઇસ્કોન મંદિરના પ્રભુજીશ્રી, પોરબંદર ઇસ્કોન મંદિરના પ્રભુ શ્રી, તેમજ વેરાવળના તમામ ભાઈઓ-બહેનો આ રથયાત્રામાં જોડાયાં હતાં

અહેવાલ:- દીપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)