શહેરીજનો દ્વારા ગૌવંશને જાહેરમાં ઘાસચારો ન આપવા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા અપીલ.

જૂનાગઢ

મહાનગર પાલિકા,જુનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે.પરંતુ શહેરીજનો દ્વારા દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઈસમો પાસેથી અનધિકૃત ઘાસચારો લઇ જાહેર માર્ગ પર જ ગૌવંશને આપવામાં આવે છે.જેના કારણે આસપાસ ના વિસ્તારમાં ગંદકી ફેલાય છે. તેમજ જાહેર માર્ગ અથવા જે તે સ્થળોમાં ગૌવંશ અડચણરૂપ બને છે.

જેથી મહાનગરપાલિકા, જૂનાગઢ ના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ. ઝાંપડા દ્વારા જુનાગઢ મહાનગર પાલિકા ના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેર માં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કાર્યરત છે.જેથી મહાનગરપાલિકા,જુનાગઢની કાર્યવાહી શહેરીજનોના લોકહિતમાં હોય તેથી જુનાગઢ શહેરના શહેરીજનો પૈકી જે લોકો ઘાસચારાનું દાન કરવા માંગતા હોય તે લોકોએ મહાનગરપાલિકા,જૂનાગઢની (૧.) ખામધ્રોળ ટોરેન્ટ ગેસ પાસેની ગૌશાળા (૨)સુખનાથ ચોક,સાવજના ડેલા પાસે આવેલ ગૌશાળા અથવા શહેરની અન્ય કોઈપણ ગૌશાળાએ જઈને ઘાસ ચારાનું દાન કરવા માટે તેમજ જાહેરમાં ઘાસચારો ન આપવા મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)