શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ, જૂનાગઢ દ્વારા પ્રતિક એક દિવસ નો નવરાત્રી મહોત્સવ ઉજવાશે .

જૂનાગઢ 

Advertisement

શ્રીનાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ, જૂનાગઢ દ્વારા ફક્ત જ્ઞાતિજનો માટે ઘણા વર્ષોથી નવરાત્રી દરમ્યાન પ્રતિક એક દિવસ નો નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે, તે મુજબ ચાલુ વર્ષે પણ આગામી તા.૫/૧૦/૨૪ ને શનિવારે રાત્રે ૭.૩૦ થી ૧૦.૩૦ સુધી જ્ઞાતિ ની વાડી, ગાંધીગ્રામ ખાતે રાસોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રથમ કુળદેવીશ્રી કનકાઈ માતાજીની આરતી થશે પછી રાસોત્સવ અને છેલ્લે અલ્પાહાર નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો સર્વે જ્ઞાતિજનોને આ કાર્યક્રમ માં સમયસર પધારવા અને રાસોત્સવમાં ભાગ લેવા માટે સંસ્થાના મંત્રીશ્રી હિતેશભાઈ મોં.મહેતા એ એક યાદીમાં નિમંત્રણ પાઠવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement