સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ ને પ્રદુષણ મુકત એમ્બ્યુલન્સ નું લોકાર્પણ

જૂનાગઢ

જૂનાગઢ મુકામે વર્ષો સુધી અબોલ પશુ પક્ષીઓની સેવા કરનાર સ્વ રમાબેન નારણદાસ કારિયા નાં સ્મરણાર્થે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ ને એક એમ્બ્યુલન્સ નું લોકાર્પણ પૂ. નિજ સ્વરૂપસ્વામી તથા દક્ષાબેન નથવાણી, લલિતભાઈ દોશી નાં વરદ હસ્તે કરવામાં આવેલ આ દાન માટે આશાબેન નથવાણી (કારિયા ), દક્ષાબેન નથવાણી (કારિયા ) દ્વારા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ જોઈ એમ્બ્યુલન્સ આપવાની પસંદગી કરવામાં આવેલ હતી જેમાં લલિતભાઈ દોશી પ્રેરણા સ્તોત્ર બનેલ સાથે સાથે લલિતભાઈ એ જૂનાગઢની વિવિધ ગરબી મંડળ ની 300બાળાઓને ગોરણી સ્વરૂપે જમાડી ડ્રેસ તેમજ કટલેરી કીટ આપેલ હતી આ પ્રસંગે પ્રો.વી. એસ. દામાણી, સુરેશભાઈ કામદાર, ભગવાનદાસભાઈ, બટુકબાપુ, અનિલભાઈ વ્યાસ, હરેનભાઈ માવાણી, રાજુભાઈ દોશી, અશ્વીનભાઈ અવલાણી, સરોજબેન કોઠારી,પરાગભાઇ કોઠારી, વિમલભાઈ શાહ, બિપીનભાઈ કામદાર, અશોકભાઈ ટોલીયા, મહેન્દ્રભાઈ ઉદાણી, ધર્મેન્દ્રભાઈ મોદી, કિશોરભાઈ અજમેરા, કેતનભાઈ દોશી, તેજસભાઈ પારેખ, વિનુભાઈ દોશી, જયેશભાઇ કોઠારી,વણિકસમાજ નાં આગેવાનો તેમજ શ્રી નાગભાઈ વાળા, રવિભાઈ દવે, ગોપાલભાઈ શાસ્ત્રી,રમેશભાઈ બાવળીયા, ધીરુભાઈ મારું, શ્રી અરવિંદભાઈ મારડિયા,શાંતાબેન બેસ,મનોજ સાવલિયા, કેતનભાઈ નાંઢા કમલેશ ટાંક, પ્રવિણભાઈ જોશી મનોજભાઈ રાજા, પરમારભાઈ, રેવતુભા જાડેજા, પ્રજ્ઞેશભાઈ વાજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ નું સંચાલન શ્રી કમલેશભાઈ પંડ્યાએ સંભાળેલ હતું

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)