સિહોર તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.

સિહોર

સિહોર બંધન પાર્ટી પ્લોટ ખાતે સિહોર શહેર તેમજ તાલુકાનો વિદ્યાર્થી ઈનામ વિતરણ સમારોહ યોજાયો જેમાં શ્રી મોંઘીબા મહારાજ જગ્યાના મહંત પ.પૂજ્યશ્રી જીણારામ બાપુ,સંતો,અતિથિ વિશેષ નિશાબેન હરિયાણી (નાયબ મામલતદાર શ્રી)ની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,સાથે સાથે શ્રેય હોસ્પિટલ સિહોર દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જ્ઞાતિના પ્રમુખ મકાબાપુ,રાહુલભાઇ નિમાવત, મનીષભાઈ અગ્રાવત,જયેશભાઈ આચાર્ય તેમજ સમગ્ર કારોબારી દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

અહેવાલ :- સતાર મેતર (સિહોર)