સુરત મેટ્રો દુર્ઘટનાના 20 કલાક બાદ પણ કાટમાળ હટાવામાં નહીં આવ્યો.

સુરત :

સુરતમાં મેટ્રોની કામગીરી સુરતીઓ માટે આફત બની રહી છે એક મહિનામાં બે દુર્ઘટના બની છે અને પહેલી ઘટના નો કાટમાળ દુર થાય તે પહેલા ગઈકાલે બીજી દુર્ઘટના બની હતી. નાના વરાછાની એક સોસાયટી ના મકાન પર 135 ટન વધજન ધરાવતું ગર્બોડર બોક્સ અને ક્રેઇન પડવાની ઘટનાને 20 કલાકથી વધુ સમય થયો છે તેમ છતાં હજી પણ કાટમાળ હટાવવા માટે કોઈ કામગીરી થઈ નથી. મેટ્રોના અધિકારીઓ કહે છે, ક્રેન અને લોન્ચર નું વજન વધુ છે તેથી તેને પહાવવા માટે આયોજન કરવામા આવી રહ્યું છે અને સંભવતઃ આજે મોડી રાત્રે કામગીરી કરાશે. જોકે, આ મોટી દુર્ઘટના અને ગંભીર બેદરકારી છે તેમ છતાં હજી જવાબદારો સામે પોલીસ ફરિયાદ ન થતાં લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે.

સરથાણા થી કાપોદ્રા મેટ્રો રૂટ પર નાના વરાછા, ચોપાટી સામે ગંગા જમના સોસાયટી નજીક આવેલા યમુના નગર વિસ્તારમાં પીલ્લર નંબર પી 110 અને 11 વચ્ચે 135 ટનનો ગર્ડર બોક્સ લોન્ચ કરવાની કામગીરી દરમિયાન ગઈકાલે સાંજે 5-10 વાગ્યે અચાનક ક્રેઈન તુટી પડી હતી અને ક્રેઈન અને લોન્ચર એક મકાન પર પડી ગયું હતું.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત )