સુરત:
શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાલિકા તંત્ર દ્વારા વરસાદ પૂર્વે મોટા દાવા કરવામાં આવ્યા હતા કે આ વર્ષે ચોમાસામાં પાણી ભરાશે નહીં, પરંતુ હકીકત ભિન્ન જોવા મળી છે.
સુરતના જાણીતા સમાજ સેવી ધર્મેશ ગામી દ્વારા સીધા પાલિકા કમિશનર તથા સુરતના મેયર સાથે સંપર્ક કર્યો હતો અને પૂર જેવી સ્થિતિ અંગે સવાલ કર્યા હતા. જ્યોધર્મેશ ગામીનું કહેવું છે કે, જ્યારે તેમણે પુરની ગંભીર સમસ્યાની માહિતી આપી ત્યારે પાલિકા કમિશનરે કોઈ પણ જવાબ આપ્યા વિના ફોન મુકીને વાત અવગણવા પ્રયત્ન કર્યો હતો.
આ વચ્ચે સુરતના મેયરનો પહેલાનો એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ દાવો કરતા હતા કે “આ વર્ષે ચોમાસામાં પાણી નહીં ભરાય!” પરંતુ હાલની સ્થિતિમાં મેયરનો દાવો ધરાશાયી થયો છે અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
મુખ્ય મુદ્દા:
સુરતમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવા લાગી ગયા છે.
રસ્તાઓ, સર્કલ અને હાઉસિંગ સોસાયટીઓમાં પાણી ભરાયા.
ધર્મેશ ગામીએ તંત્રના જવાબદાર અધિકારીઓ સાથે વાત કરી પરંતુ યોગ્ય જવાબ ન મળતા તેમનો વીડિયો વાયરલ થયો.
મેયરનું પહેલાનું નિવેદન હવે લોકો વચ્ચે ટીકા નું કેન્દ્ર બન્યું છે.
સૂત્રો અનુસાર:
આ મુદ્દે પાલિકા તરફથી હજુ કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી, જોકે અધિકારીઓની કામગીરી સામે હવે સવાલો ઊભા થયા છે.
અહેવાલ: બ્યુરો રિપોર્ટ