ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની જાસૂસો પકડાતા કિસ્સાઓ બાદ રાજ્ય સરકારે સતત સતર્કતા અપનાવી છે. આ સાથે જ રાજ્યના વિવિધ શહેરોમાં અवैધ રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ અંતર્ગત સુરત શહેરના ઉના, ભેસ્તાન, લિંબાયત અને અમરોલી જેવા વિસ્તારોમાં વસેલા બાંગ્લાદેશી નાગરિકોને ઓળખી તેમને પાછા તેમના વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આજના રોજ સુરત પોલીસે 119 જેટલા બાંગ્લાદેશી પુરુષો, મહિલાઓ અને બાળકોને બાંગ્લાદેશ પરત મોકલવાની કામગીરી પૂર્ણ કરી છે. તમામ વિદેશી નાગરિકોના દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી બાદ, વિધિવત વ્યવસ્થા હેઠળ તેમને દેશબહાર મોકલવામાં આવ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી ઉપર મુખ્ય પોલીસ અધિકારીઓએ નજર રાખી હતી અને સુરક્ષા વ્યવસ્થા સાથે સૌ કોઈને મૈત્રીપૂર્ણ રીતે તેમના વતન તરફ વિદાય આપવામાં આવી.
રાજ્ય સરકારના આ પગલાથી સંકેત મળે છે કે હવે કોઈ પણ વિદેશી નાગરિક રાજ્યમાં અનુમતિ વગર રહેશે તો તાત્કાલીક પગલાં લેવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.