સુરત શહેરમાં સતત વરસાદને કારણે કોઝવે છલોછલ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. શહેરના લોકપ્રિય કોઝવે પર પાણીની સપાટી સતત વધતા હવે ભયજનક સપાટીથી લગભગ 6 મીટરથી પણ વધારે પહોંચી ગઈ છે.
હાલમાં કોઝવે પર પાણીની સપાટી 7.05 મીટર નોંધાઈ છે, જ્યારે તંત્રએ 6 મીટરને ભયજનક સપાટી જાહેર કરી છે. કોઝવે પર પાણીનો ઘમઘમાટ અને ઝડપથી વહેતા પ્રવાહને કારણે તંત્રએ લોકોના અવરજવર પર રોક લગાવી છે અને કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે.
દર વર્ષે વરસાદી મોસમમાં આ કોઝવે પર આવાં દ્રશ્યો જોવા મળતા હોય છે, જ્યાં પાણીના ભરાવથી કોઝવે નદીનું રૂપ ધારણ કરે છે. જોકે આ વખતે પાણીની સપાટી વધુ ઊંચે જતા તંત્રએ ખાસ ચેતવણી આપી છે કે કોઇપણ સામાન્ય નાગરિક કોઝવેની નજીક ન જાય અને સુરક્ષાને ધ્યાનમાં રાખે.
અત્યાર સુધી કોઈ જાનહાનિનો ઇતેહાસ સામે આવ્યો નથી, પરંતુ તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લોકોમાં પણ કોઝવેના નયનરમ્ય દ્રશ્યો જોવા જવાની આતુરતા જણાઈ રહી છે, પરંતુ તેમ છતાં તેમનો જીવ જોખમમાં ન મૂકે તે માટે તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે.
અહેવાલ : – બ્યુરો રિપોર્ટ