સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરશે પ્લેન ક્રેશ પીડિતોના પરિવારજનોની મુલાકાત.

સુરત શહેર શોકમગ્ન છે. અમદાવાદ એરપોર્ટ પાસે થયેલા ખાનગી ચાર્ટર્ડ પ્લેન દુર્ઘટનામાં જીવન ગુમાવનાર સુરતના 11 મૃતકોમાં અનેક પરીવાર આજે પણ ઈમોશનલ ટ્રોમામાં છે. આ ભયાનક અકસ્માત બાદ રાજ્ય સરકાર દ્વારા ઝડપભેર કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

આ ઘટનાને લઈ આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પધાર્યા. તેમણે સૌથી પહેલા સુજાતા સોસાયટી, તરવાડી વિસ્તારમાં પહોંચીને મૃતક ડૉ. હિતેશ શાહ અને તેમની પત્ની ડૉ. અમિતા શાહના પરિવાર સાથે મુલાકાત લીધી. બંને સફળ ડોક્ટર દંપતી તરીકે ઓળખાતા હતા અને તેમનું દુર્ઘટનામાં અવસાન થતાં સમગ્ર મેડિકલ વર્ગ પણ શોકમાં છે.

હર્ષ સંઘવી માત્ર શોક વ્યક્ત કરવા નહીં, પરંતુ આર્થિક અને માનસિક સહકારની ખાતરી આપવા પણ આવ્યા હતા. તેઓએ કહ્યું, “આ દુઃખના સમયમાં રાજ્ય સરકાર અને હું વ્યક્તિગત રીતે પરિવાર સાથે ઊભા છીએ. જે પણ સહાય જરૂરી છે એ ઝડપથી પહોંચાડવામાં આવશે.”

મંત્રીએ રામપુરા વિસ્તારમાં મન્ના રેસિડેન્સીમાં પણ વિઝિટ કરી. અહીં પણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરતના અન્ય પીડિતોના પરિવારો રહે છે. પરિવારજનો સાથે એમની મુલાકાત ગંભીર અને સહાનુભૂતિસભર રહી.

અહિયાંની મુલાકાત દરમિયાન એક પીડિતના પરિવારજને જણાવ્યું, “અમે જોઈ શકીએ છીએ કે અમારી સાથે માત્ર શબદોથી નહીં, પણ વાસ્તવિક સહકાર સાથે સરકાર ઊભી છે.”

હર્ષ સંઘવીના નિર્દેશન બાદ મ્યુનિસિપલ તંત્ર, અરજન્ટ હેલ્થ વિભાગ, અને કમિશનર ઓફિસ દ્વારા સપોર્ટ માટે અલગ સેલ ઉભું કરવામાં આવ્યું છે, જે અંતિમ વિધી, સહાય યોજના તથા બાળકના ભવિષ્યના અભ્યાસ અંગે માર્ગદર્શન આપશે.

અંતે મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મીડિયા સમક્ષ કહેલું,

અહેવાલ :- સતિષ પાટીલ (સુરત)