“સ્વચ્છતા હિ સેવા -૨૦૨૪” અંતર્ગત મહાનગર પાલિકા, જુનાગઢ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાશે.

જૂનાગઢ

રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમીતે તેમજ સ્વચ્છ ભારત મિશન ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી તા.૧૭/૯/૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.

”સ્વચ્છતા હિ સેવા -૨૦૨૪” અંતર્ગત મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા તા.૧૭/૯/૨૦૨૪ ના રોજ મંગળવાર સવારે ૯:૦૦ કલાકે,રેલ્વે સ્ટેશન,પટાંગણ, જૂનાગઢ ખાતે તેમજ સવારે ૧૦:૦૦ કલાકે, બસ સ્ટેશન પટાંગણ,જૂનાગઢ ખાતે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ ની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ‌)