જૂનાગઢ, તા. 16મે:
પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન દ્વારા જણાવાયું છે કે, ૧૭ મે ૨૦૨૫ના રોજ પોરબંદર-દાદર માટે ચાલતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (ટ્રેન નં. ૧૯૦૧૬) ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, ૧૬ મે ૨૦૨૫ના રોજ દાદર-પોરબંદર માટે ની ટ્રેન નં. ૧૯૦૧૫ પણ રદ રહી છે.
ભાવોનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ૧૭ મેની ટ્રેન પેરિંગ રેકની અછતના કારણે રદ કરવામાં આવી છે.
મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી સંબંધિત વધુ માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ