૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૫ માટે ખર્ચ નિરીક્ષણ બેઠક જૂનાગઢમાં યોજાઈ

જૂનાગઢ: ૧૯ જૂન, ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી નજીક આવતા એ સબંધિત જરૂરી આયોજન ચાલી રહ્યા છે. આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ખર્ચ નિરીક્ષક ઘનીષ્ઠ યાસુની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં આવક વેરા વિભાગ, એસજીએસટી, લીડ બેંક, સીજીએસટી, કસ્ટમ, એક્સાઈઝ સહિતના નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા.

આ બેઠકમાં ચૂંટણીમાં ઉમેદવાર દ્વારા કરવામાં આવતો ખર્ચ કાયદેસર અને પારદર્શક રહે તે માટેનું વિશદ નિરીક્ષણ અને તેના હિસાબ-કિતાબની યોગ્ય નોંધણી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.

ઘનીષ્ઠ યાસુએ કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ન્યાયી રીતે ચાલે, માટે AEOs, FSTs, SSTs, VSTs, VVTs, ATs, MCMC અને 24*7 કંટ્રોલ રૂમ સહિતની ખર્ચ સાથે સંકળાયેલી ટીમોની કામગીરીનું સંકલન જરૂરી છે.

સાથે જ, આચારસંહિતા અમલમાં લાવવાના પગલાં, શિકાયતોના નિવારણ માટે સીસીવીજીલ અને હેલ્પલાઇન દ્વારા મળતી ફરિયાદો, સ્ટેટિક સર્વેલન્સ ટીમોનું સંચાલન તેમજ ગેરકાયદેસર દારૂ સહિત સામાનની જપ્તી સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.

જિલ્લા વિકાસ અધિકારી પી.એ. જાડેજા અને આસિસ્ટન્ટ નોડલ ઓફિસર રમેશ સુવાને આચારસંહિતા અમલીકરણ પછી થયેલ કામગીરી અંગે વિગતવાર માહિતી આપી.

ખર્ચ નિરીક્ષકે કલેક્ટર કચેરી ખાતે કાર્યરત ખર્ચ નિયંત્રણ એકમ, કંટ્રોલ રૂમ અને મીડિયા મોનિટરીંગ રૂમની મુલાકાત લઈ ચાલતી કામગીરીની સમીક્ષા કરી.

આ બેઠક દ્વારા વિધાનસભા પેટા ચૂંટણીમાં ન્યાયપૂર્ણ, પારદર્શક અને સુવ્યવસ્થિત ચૂંટણી સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધતા વધુ મજબૂત થઇ છે.

અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ