કચ્છ | ભુજ | 19 એપ્રિલ:
કચ્છના ચર્ચિત જમીન ફાળવણી કેસમાં ભૂતપૂર્વ IAS અધિકારી અને કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિત કુલ 4 આરોપીઓને ભુજની નામદાર કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે તમામને 5 વર્ષની સખ્ત કેદ અને રૂ. 10,000 નો દંડ ફટકાર્યો છે.
આ કેસ જિંદાલ ગ્રુપની સહાયક કંપની “સોપાઈપ્સ લિમિટેડ” ને જમીન ફાળવણી દરમિયાન થયેલા ગેરકાયદેસર વ્યવહારો અંગેનો છે, જેમાં કલેક્ટરે નિયમોની ઉલ્લંઘના કરીને કંપનીને સરકારી જમીન ફાળવી દીધી હતી.
📌 કેસના મુખ્ય મુદ્દા:
- રાજ્ય સરકારના નિયમો વિરુદ્ધ જમીન ફાળવણી
- સરકારી હિતને નુકસાન પહોંચાડવાનો ગંભીર આક્ષેપ
- CID ક્રાઈમ દ્વારા તપાસ અને ચલાવાયેલા કેસ
📢 પ્રોસિક્યુશન તરફથી રજૂઆત:
રાજ્ય સરકાર તરફથી સીઆઈડી ક્રાઈમ વિભાગ દ્વારા આ કેસને ચલાવવામાં આવ્યો હતો. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર H.B. જાડેજા દ્વારા સાક્ષીઓ અને પુરાવાઓના આધારે કોર્ટમાં દલીલો રજૂ કરવામાં આવી હતી.
આ કેસમાં કોર્ટ દ્વારા નોંધાયેલો આ ચુકાદો રાજ્ય સરકારના મકાન અને જમીન ફાળવણી મામલાઓમાં પારદર્શકતાની જરૂરીયાત તરફ સંકેત આપે છે.
📍 અહેવાલ: નિતેશ ભટ્ટ, કચ્છ