આવતી કાલે થી અંબાજી મન્દિર મા માતાજી ના દર્શન અને આરતી ના સમય મા ફેરફાર.

આવતી કાલે થી અંબાજી મન્દિર મા માતાજી ના દર્શન અને આરતી ના સમય મા ફેરફાર.

શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનો આસ્થા નું કેન્દ્ર છે ત્યારે દરરોજ હજારોની સંખ્યા મા માઇભક્તો માતાજી ના ચરણે શીશ નમાવવા અને માતાજી નો આશીર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે. માં જગતજનની અંબા ના દર્શન અને આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં માઇ ભક્તો માં ના મંદિરે પહોંચે છે. અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ૠતુ પ્રમાણે અને યાત્રાળુઓની સગવડતા ને ધ્યાને રાખી ફેરફાર કરાતો હોય છે .ત્યારે આવતીકાલે થી અંબાજી મંદિર માં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટર ની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર 10/05/24 વૈશાખ સુદ તીજ થી 06/07/24 આષાઢ સુદ એકમ સુધી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની ભાવિક ભક્તોને નોંધ લેવા જણાવાયું છે.

આરતી સવારે- 7:00 થી 7:30

દર્શન સવારે- 7:30 થી 10:45

રાજભોગ આરતી- 12:30 થી 01:00, દર્શન બપોરે- 01:00 થી 4:30, આરતી સાંજે- 7:00 થી 7:30, દર્શન સાંજે- 7:30 થી 9:00

નોંધ :- તારીખ 10/5/2024 થી લઈને 6/7/2024 સુધી માતાજીનો અન્નકૂટ થઈ શકશે નહીં.

 

અહેવાલ :- રાજેશ જોષી (બનાસકાંઠા)